મેરે અપને-પોતાના માણસો જ પોતાના ન રહ્યાં: પિત્રોડાના નિવેદનને વાડ્રાએ બકવાસમાં ખપાવ્યું, કહ્યું- હું તેમની વાત સાથે સહમત નથી
- 09 May, 2024
ઈન્ડિયન ઓવરસીસ કોંગ્રેસના પૂર્વ ચેરમેન સામ પિત્રોડાના રંગભેદવાળા નિવેદનથી હાલ રાજકારણમાં ખભળાટ મચી ગયો છે. બુધવારે સામ પિત્રોડાએ એક અંગ્રેજી ન્યુઝ પેપરને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે પશ્ચિમમાં રહેતા લોકો અરબ જેવા, ઉત્તર ભારતના લોકો અંગ્રેજો જેવા, દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન જેવા અને પૂર્વમાં રહેતા લોકો ચીનમાં રહેતા લોકો જેવા લાગે છે. જોકે આ નિવેદન વાઈરલ થવાના પગલે પિત્રોડાએ રાજીનામું આપવાની ફરજ પડી હતી. હવે પિત્રોડાના નિવેદન પર રોબર્ટ વાડ્રાની પ્રતિક્રિયા સામે આવી છે અને તેમણે પિત્રોડા કરેલા આ નિવેદનને બકવાસ કહ્યો છે.
વાડ્રાએ કહ્યું કે જ્યારે તમે આ પરિવાર સાથે જોડાવ છો તો વધુ તાકાતની સાથે મોટી જવાબદારી પણ આવે છે. તમારે કોઈ પણ પગલું ભરતા પહેલા વિચારવું પડે છે. સામ પિત્રોડાએ જે પણ વાત કહી છે, તેની સાથે હું સહમત નથી. મિસ્ટર સામ પિત્રોડાએ જે પણ બકવાસ કર્યો તે બકવાસ જ છે. કોઈ પણ માણસ જે આટલો ભણેલો ગણેલો હોય તે આવું કઈ રીતે બોલી શકે. તેઓ રાજીવ જીના ખુબ જ નજીકના હતા.
વાડ્રાએ આગળ કહ્યું કે જો તમને પરિવાર સાથે જોડાવવાની તક મળી છે તો તમારે તમારી સમજણથી પગલા ભરવા જોઈએ. સમજદારી હોવી જોઈએ. રાહુલ પ્રિયંકા અને કોંગ્રેસ આટલી મહેનત કરી રહ્યાં છે અને તમારા એક નિવેદનથી બીજેપીને એક બિનજરૂરી મુદ્દો ઉઠાવવાની તક મળી ગઈ.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ